પાણી એ આપણા શરીરમાં સૌથી વધુ પ્રમાણમાં મળી આવતુ પોષકતત્વ છે. આપણા શરીરનો ૨/૩ ભાગ પાણીથી બનેલો છે. આપણા શરીરના કુલ વજનના ૬૫% જેટલુ વજન પાણીનું હોય છે. પાણી એ શરીરના પ્રત્યેક કોશમાં રહેલા મહત્વના ઘટકોમાંનુ એક ઘટક છે. શરીરની પ્રત્યેક પેશીમાં પાણી હોય છે.
કાર્ય

શરીરનું માળખુ બનાવવું અને ચયાપચયની ક્રિયાઓમા સામેલ થવુ તે પાણીના મૂળભૂત કાર્યો છે.શરીરનું તાપમાન જાળવી રાખવા માટે પાણી મહત્વનું છે. પાણી શરીરમાંના પદાર્થોને ઓગાળવા માટેના માધ્યમ તરીકે કાર્ય કરેછે, જેથી શરીર એવા પદાર્થોનું પરિવહન અને ઉપયોગ કરી શકે. પાણી શરીરમાં બનતા મૂત્રનું મુખ્ય ઘટક છે. આ રીતે તે શરીરમાંના નકામા પદાર્થો બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. શરીરની અંદરની પેશીઓ તેમજ શરીરમાંના નાજુક અવયવો જેવાકે હ્રદય, મગજ, વગેરે….ની આસપાસ પાણી હોય છે. પાણીને લીધે આ પેશીઓ અને અવયવોનું બહારના આંચકાઓ અને ઈજાઓથી રક્ષણ થાય છે.
પ્રાપ્તિસ્થાન
પીવાનું પાણી જે આપણે રોજ પીતા હોઈએ. આપણે પુષ્કળ પાણી પીવું જોઈએ અથવા ફળનારસ, દૂધ કે ચા જેવા પીણાંના સ્વરૂપે પાણી લેતા રહેવું જોઈએ.
તંદુરસ્તી જાળવવા માટે રોજ કોઈ પણ સ્વરૂપે પાણી પીઓ.
શરીર પર અસરો
શરીરમાં પાણીની ઊણપને (કમી હોવી) કારણે નિર્જલીકરણ એટલે કે Dehydration થાય છે. કિડની તેમના કાર્યને જાળવવા શક્ય તેટલુ પ્રવાહી જાળવી રાખે છે તેમજ લોહીમાંથી કચરાનો નિકાલ કરે છે. જો આપણે પૂરતુ પાણી ન પીએ તો આ કચરો એસીડ સાથે build up ( વધે ) છે અને કિડની પર ખરાબ અસર થાય છે. કિડની સ્ટોન થાય છે તેમજ પેશાબમાં ઈનફેક્સન થાય છે. Dehydration ને કારણે પેશાબમાં ઘટાડો થઈ શકે છે તેમજ થાક લાગવો, નબળાઈ લાગવી, રોગ-પ્રતિકારક શક્તિ ઘટવી, ચામડી સૂકી રહેવી, મોંમા દૂંર્ગધ આવવી, કબજીયાત થવી વગેરે જેવા લક્ષણો દેખાય છે.
શરીરમાં પાણીની અધિકતાને કારણે Overhydration થાય છે. જેના કારણે ઊબકા-ઊલટી આવવા, માથુ દુઃખવુ ઊપરાંત સ્નાયુસંકોચન, ખેંચતાણ અનુભવવી વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. વધારે પાણી પીવાથી ભાગ્યેજ Overhydration થાય છે કારણકે સામાન્ય રીતે કિડની સરળતાથી વધારે પાણીનું વિસર્જન કરી શકે છે.