ખાદ્યપદાર્થનું બગાડના સમયના આધારે વર્ગીકરણ( CLASSIFICATION OF FOOD BASED ON PERISHABILITY )

કોઈપણ ખાદ્યપદાર્થમાં ખરાબીને રોકવાનું એ વાત પર નિર્ભર કરે છે કે કોઈ ખાદ્યપદાર્થને ખરાબ થયા વિના કેટલા સમય સુધી રાખી શકાય છે. દૂધ, ઈંડા, ફળ, શાકભાજી વગેરે જેવી વસ્તુઓ હરરોજ અથવા બે-ત્રણ દિવસમાં એકવાર કે વધીને અઠવાડીયે એકવાર લોકો ખરીદે છે. જ્યારે અન્ય પદાર્થ જેમકે લોટ, ઘી, દાળો, તેલ વગેરે જેવી વસ્તુઓ અઠવાડીયે/પંદરદિવસે/ કે મહીનામાં એક જ વાર સાથે ખરીદે છે. શું તમે જાણો છો કે આવું શું કામ હોય છે? અમુક ખાદ્યપદાર્થો, બીજા ખાદ્યપદાર્થોની તુલનામાં જલ્દી ખરાબ થઈ જાય છે અને તેને ખરીદીને એક કે બે દિવસમાં ખાઇ કે પીને સમાપ્ત કરવું જરૂરી હોય છે. જ્યારે અમુક બીજા ખાદ્યપદાર્થ ખરાબ થયા વિના લાંબા સમય સુધી રાખી શકાય છે.

ખાદ્યપદાર્થોને તેના ખરાબ થવાના સમયના આધાર પર ત્રણ વર્ગોમાં વિભાજીત કરી શકાય છે.

  1. જલ્દીથી નષ્ટ થાય તેવા ખાદ્યપદાર્થ
  2. લાંબા સમયે નષ્ટ થાય તેવા ખાદ્યપદાર્થ
  3. નષ્ટ ન થાય તેવા ખાદ્યપદાર્થ

( 1. ) જલદીથી નષ્ટથાય તેવા ખાદ્યપદાર્થ ઃ- આ એવા ખાદ્યપદાર્થ છે કે જો તેને કોઈ ખાસ ક્રિયા દ્વારા ખરાબ થતો ન અટકાવાય તો તે બહુ જલ્દી બગડી જાય છે. બધા પશુજન્ય ખાદ્યપદાર્થ જેમકે માંસ, માછલી, ચિકન, ઈંડા, દૂધ અને દૂધની બનાવટ તથા મહત્તમ શાકભાજી અને ફળો આ વર્ગમાં આવે છે.તેના ખરાબ થવાની ગતિ તાપમાન, વાતાવરણમાંનો ભેજ કે શુષ્કતા પર આધારિત હોય છે. ઉદાહરણ તરીકે ઠંડીની મૌસમમાં દૂધ સામાન્ય તાપમાનમાં પણ આખો દિવસ ખરાબ થયા વિના રાખી શકાય છે પરંતુ ગરમીની મૌસમમાં તે 4 કે 5 કલાકથી વધુ રાખી શકાતુ નથી. તાજા ઈંડા, માંસ અને માછલીને જો ફ્રિજમાં રાખવામાં ન આવે તો ગરમીની મૌસમમાં તે બહુ જલ્દીથી ખરાબ થઈ જાય છે. લીલી ધાણાભાજી, સલાડના પાંદડા અને પાલક જેવા શાકભાજીઓ જો સારી રીતે સંગ્રહીત કરવામાં ન આવે તો ખેતરમાંથી તોડ્યા પછી અમુક જ સમયમાં તે કરમાઈ જાય છે.

( 2. ) લાંબા સમયે નષ્ટ થાય તેવા ખાદ્યપદાર્થ ઃ- આ એવા ખાદ્યપદાર્થ છે કે જે કોઈ પણ સીધી ખરાબી વગર અમુક અઠવાડીયા સુધી કે અમુક મહીનાઓ સુધી રાખી શકાય છે.  આ ખાદ્યપદાર્થો પર વાતાવરણના તાપમાન અને ભેજથી બહુ ફરક પડે છે. આ વર્ગમાં આવનાર ખાદ્યપદાર્થોમાં અનાજ અને દાળોમાંથી બનેલ પદાર્થ જેમકે ઘઊંનો લોટ, મેંદો, રવો, બેસન, વગેરે તથા ડૂંગળી, લસણ, બટેટા, પતકોરું, સફરજન, ઘી, તેલ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. જો આ ખાદ્યપદાર્થને સાવધાનીથી વાપરવામાં આવે કે સંગ્રહ કરવામાં આવે તો તેને ઘણાં લાંબા સમય સુધી રાખી શકાય છે. પશ્ચિમના દેશોમાં ઠંડા વાતાવરણમાં તો આવા ખાદ્યપદાર્થ નષ્ટ ન થનાર ખાદ્યપદાર્થના વર્ગમાં સમાવેશ કરવામાં આવે છે. પરંતુ આપણા દેશના ગરમ અને ભેજવાળા વાતાવરણમાં જો તેને સાવચેતી પૂર્વક વાપરવામાં ન આવે તો તે જલ્દીથી ખરાબ થઈ જાય છે.

( 3. ) નષ્ટ ન થાય તેવા ખાદ્ય પદાર્થ ઃ- અનાજ, દાળો, સૂકો મેવો, ખાંડ વગેરે જેવી વસ્તુઓ આ વર્ગમાં આવે છે. આવા ખાદ્યપદાર્થ સામાન્યરીતે ખરાબ નથી થતા જો તેને બહુ જ બેદરકારીથી વાપરવામાં ન આવે. અહીં પણ આપણે તેના સંગ્રહ કરવા સમયે જીવજંતુ વગેરેથી બચાવવા માટે વિશેષ ધ્યાન રાખવું પડે છે. ભારત જેવા દેશમાં જુદું-જુદું વાતાવરણ અને જુદું-જુદું તાપમાન હોય છે. આ કારણથી આ પ્રકારના ખાદ્યપદાર્થોનું વર્ગીકરણ ઉપર જણાવેલ  કોઈ પણ વર્ગીકરણમાં નહી થાય. ખાંડ અને મીઠા સિવાય કોઈ એવો ખાદ્યપદાર્થ નથી કે જેનું ખાસ ધ્યાન રાખ્યા વગર ખરાબ નથી થતાં. જો ખાંડ અને મીઠાને પણ સાવચેતીથી સંગ્રહ કરવામાં ન આવે તે વર્ષાઋતુમાં તેને પણ ભેજ લાગી જાય છે. આથી ખાદ્યપદાર્થની યોગ્ય સંગ્રહની જરૂરિયાત આપણા માટે વધુ મહત્વપૂર્ણ બની જાય છે, ખાસકરીને  આપણી વસ્તી,આપણા ખાદ્યપદાર્થોનું ઊત્પાદન, આપણા પરિવહનની સુવિધાઓ તથા આપણી વસ્તીના મોટાભાગની નીચી( ઓછી) ખરીદ શક્તિના સંદર્ભમાં. આથી આપણા માટે દેશમાં ઉત્પાદિત બધાજ ખાદ્યપદાર્થોની ત્યાંસુધી યોગ્ય કાળજી બહુ જરૂરી છે જ્યાં સુધી તે ખાવા માટે તૈયાર ન થઈ જાય. આપણે ઉપલબ્ધ દરેક દાણાનો સદુપયોગ પણ કરવો જોઈએ.

Share This

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Table of Contents

About the Post
Subscribe for Updates
guGujarati
Scroll to Top