બધા માટે પૂરતુ ભોજન ઉપલબ્ધ કરાવવા માટે માત્ર કૌટુંબિક-નાના સ્તર પર જ નહીં, મોટા સ્તર પર પૂરતા ખાદ્યપદાર્થોના પૂરવઠાની ખાત્રી કરવાનું પહેલું ચરણ છે-યોગ્ય સંગ્રહ. વિકસિત દેશોમાં ફસલ કાપતી વખતે ઉપજના લગભગ 10% ભાગની નુકસાની થતી હોય છે. વિકાસશીલ દેશોમાં તો તે ખૂબ વધુ હોય છે-લગભગ 50% સુધી. આપણા દેશમાં ઉત્પાદિત અનાજના લગભગ 10% ખેતરમાં જ નષ્ટ થઈ જાય છે.
ખોરાક સંગ્રહની વિધિઓ
અહીં આપણે માત્ર ઘરેલૂ સ્તર પર ખાદ્યપદાર્થના સંગ્રહની વિધિઓ જાણશું. સંગ્રહણની પદ્ધતિઓ વિશે આપણે આગળ જે વર્ગીકરણ( https://ketnapabari.home.blog/2020/11/01/ખાદ્યપદાર્થનું-બગાડના-સમ/ ) જોઈ ગયા તે મુજબ જોઈશું. વર્ગીકરણ મુજબ ( 1. ) જલદીથી બગડી જાય તેવા ખાદ્યપદાર્થ ( 2. ) લાંબા સમયે બગડી જાય તેવા ખાદ્યપદાર્થ ( 3. ) બગડી ન જાય તેવા ખાદ્યપદાર્થ. આ બધા વર્ગોના ખાદ્યપદાર્થ માટે જુદી-જુદી સંગ્રહ સુવિધાઓની જરૂરત હોય છે.
( 1. ) જલ્દીથી બગડીજાય તેવા ખાદ્યપદાર્થોનો સંગ્રહ ઃ-
ઓછું તાપમાન – ઊત્સેચક અને સૂક્ષ્મજીવાણુઓ બંન્નેની પ્રક્રિયાને બંધ કરી શકે છે. તેથી જલ્દીથી બગડીજાય તેવા ખાદ્યપદાર્થોને ફ્રિજના ઓછા તાપમાનમાં રાખવા જોઈએ. ઘરેલૂ રેફ્રિજરેટરમાં તાપમાન સામાન્યરીતે 4 ડીગ્રી સેન્ટિગ્રેટ થી 10 ડીગ્રી સેન્ટિગ્રેટ ની વચ્ચે રહે છે. ફ્રીજરમાં ખાદ્યપદાર્થને લાંબાસમય સુધી ખરાબ થયા વિના રાખી શકાય છે.
જલ્દીથી બગડીજાય તેવા ખાદ્યપદાર્થના સંગ્રહની વિધિ

- માંસ, ઈંડા અને માછલી ને વધુ સમય સુધી સંગ્રહ કરવા માટે 6 ° સેન્ટિગ્રેટ સુધી ફ્રોઝન કરવું પડતું હોય છે. આ ખાદ્યપદાર્થોને સામાન્ય તાપમાન પર એક કે બે કલાક થી વધુ ન રાખવા જોઈએ. જો ફ્રીજ ની સુવિધા ન હોય તો તેને એકદમ પકાવીને વાપરવું જોઈએ. અંગોનું માંસ જેમકે મગજ, યકૃત, હ્રદય વગેરે બીજા માંસ ની તુલનામાં જલદી ખરાબ થઈ જાય છે. પિસેલુ માંસ પણ જલ્દીથી ખરાબ થઈ જાય છે કારણકે તેનું ક્ષેત્રફળ વધી જાય છે અને ઉપકરણો દ્વારા અથવા પ્રયોગ કરવા સમયે પ્રદૂષણની સંભાવના પણ વધુ હોય છે.
- ઈંડાને સામાન્ય તાપમાન પર ઠંડીના મૌસમમાં પણ એક કે બે દિવસથી વધુ રાખવા ન જોઈએ. તેને ફ્રિજમાં રાખવું જ સૌથી સારુ રહે છે.
- દૂધ ઊકાળવાની પ્રક્રિયા દ્વારા સૂક્ષ્મજીવાણુ અને ઊત્સેચકો નષ્ટ થઈ જાય છે. આથી જ ઊકાળેલા દૂધને સામાન્ય તાપમાન પર 6 થી 12 કલાક સુધી રાખી શકાય છે. લગભગ 6 કલાક પછી એક બીજો ઊફાળો દેવાથી ગરમીના મૌસમમાં પણ તેને વધુ સમય સુધી રાખી શકાય છે. જ્યારે તેને સામાન્ય તાપમાન પર રાખવામાં આવે ત્યારે તેના પર જાળી વાળુ ઢાકણું ઢાકવું સારુ રહે છે તેથી હવાની અવર-જવર થતી રહે. ફ્રિજમાં રાખેલું દૂધ 3 કે 4 દિવસ કે એનાથી પણ વધુ દિવસ સુધી રાખી શકાય છે. ફ્રિજના ઠંડા તાપમાનથી દૂધની મલાઈ અલગ થઈને ઉપર તરના રૂપમાં જમા થઈ જાય છે.
- શાકભાજીને સારી સ્થિતિમાં રાખવાની ક્ષમતા તેની પ્રકૃતિ પર આધારિત હોય છે. લીલાપાંદળાવાળા શાકભાજીને ખરીદ્યા પછી જો તેને ભીના કપડામાં લપેટીને કે પ્લાસ્ટિકના ડબ્બામાં ભરીને ફ્રિજમાં રાખવામાં ન આવે તો થોડા સમયમાં જ તે કરમાઈ જાય છે અને ખરાબ થઈ જાય છે. અહી પણ તે એક કે બે દિવસથી વધુ સમય સુધી રાખી શકાતા નથી. બીજા શાકભાજી ઠંડી જગ્યા તથા વધુ ભેજવાળી જગ્યા પર ઘણા સમય સુધી સારા રહે છે. તે ફ્રિજમાં પણ લાંબા સમય સુધી સારા રહે છે. પરંતુ તેને પ્લાસ્ટિકના ડબ્બામાં કે થેલીમાં સાફ કરીને રાખવા પડે છે જેથી તેને બાષ્પીભવન( evaporation ) દ્વારા સૂકાવાથી બચાવી શકાય. જો કોઈની પાસે ફ્રિજની સગવડ ન હોય થો એવી પરિસ્થિતિમાં તે જનતા ફ્રિજનો ઊપયોગ કરી શકે છે. જનતા ફ્રિજ એક સ્વદેશી સાધન છે. જેમાં ફળો અને શાકભાજીને બે કે ત્રણ દિવસ સુધી તાજાં રાખી શકાય છે.

જનતા ફ્રિજ ઃ- જનતા ફ્રિજ માટે બે કૂંડા જોઈએ કે જેમાં એક મોટું હોય અનેબીજુ એનાથી નાનું હોય જેથી તેઓ એક-બીજાની અંદર આવી શકે. મોટા કૂંડામાં નીચે ત્રણ થી ચાર ઈંચ રેતીના થરમાં પાણી નાખીને ભીની કરવી. આ કૂંડાને પાણીભરેલા એક મોટા વાસણમાં રાખવું. નાના કૂંડામાં શાકભાજી રાખવું જેમાં કઠણ શાકભાજી નીચે અને નરમ શાકભાજી ઉપર અને તે નાના કૂંડાને મોટા કૂંડામાં રાખવું. કૂંડાને ઉપરથી ઢાકવું અને આ જનતા ફ્રિજને ભીના કોથળાથી ઢાકી દેવું. તેને ઠંડી અને હવાદાર જગ્યામાં રાખવું. અઠવાડીયે એક વાર રેતીને બદલી દેવી જોઈએ. આ જનતા ફ્રિજ બહુ જ ઉપયોગી હોય છે.
( 2. ) લાંબા સમયે બગડી જાય તેવા ખાદ્યપદાર્થ ઃ-
અમુક અનાજમાંથી બનેલા પદાર્થ, કંદમૂળ, સૂકોમેવો, તેલિબિયાં અને ફળ આ વર્ગમાં આવે છે. આ બધાનો સંગ્રહ કઈ રીતે કરવો જોઈએ તેના વિશે જોઇએ.
લાંબા સમયે બગડી જાય તેવા ખાદ્યપદાર્થોની સંગ્રહ વિધિ

- અનાજથી બનેલા પદાર્થ ઃ- વિવિધ પ્રકારના અનાજમાંથી બનેલા પદાર્જેથો જેમકે લોટ, સૂજી, સેવો, દલિયામાં સમયની સાથે તેમાં એક દુગઁધ પણ આવી જતી હોય છે અને તેમાં કીડા પણ લાગી જાય છે. તેને આ બધા ખરાબ કરનાર પદાર્થોથી બચાવવા માટે સાફ કરીને , અમુક કલાક તડકે તપાવીને તથા ઠંડા કરીને, હવાચુસ્ત ડબ્બામાં( airtight box ) સંગ્રહ કરીને રાખવું જોઇએ. સંગ્રહ કરવા માટે બોતલો સારી રહે છે કારણકે તેમાં સમય-સમય પર અંદરની વસ્તુની તપાસ કરી શકીએ છીએ કે ખાદ્યપદાર્થ બરાબર છે કે નહી.
- કંદમૂળ ઃ- ડૂંગળી અને બટેટા જેવા ખાદ્યપદાર્થને ઠંડા, સૂકા અને હવાદાર જગ્યા પર સંગ્રહીત કરવા જોઇએ જેથી તેમાં અંકુરણ થવું કે ફૂગ લાગવાથી રોકી શકાય. તે છત પર લટકતી તાર કે પ્લાસ્ટિકની છાબડીમાં કે ટોકરીમાં સારા રહે છે કારણકે તેમાં હવાની અવર-જવર થતી રહેતી હોય છે. તેને રસોડામાં રાખવા ન જોઇએ. તેને ઠંડી જગ્યાની જરૂરત હોય છે.
- સૂકોમેવો ઃ- સૂકામેવામાં પણ દૂગઁધ આવી જાય છે અને જીવજંતુઓ લાગી જાય છે. આપણે તેને ત્યારે જ વધુ પ્રમાણમાં ખરીદવા જોઇએ જો આપણે તેની છાલ ઉતારીને પ્લાસ્ટિકના ડબ્બામાં કે બેગમાં ભરીને ફ્રીજમાં સંગ્રહ કરી શકતા હોય.
- ફળો ઃ- સંતરા, મૌંસબી, સફરજન, અડધી પાકેલી કેરી અમુક અઠવાડીયા સુધી સારા રહી શકે છે પરંતુ તેને કાગળથી ઢાકેલી ટોકરીમાં રાખવું જોઇએ જેથી તેને સૂકવણીથી બચાવી શકાય. ખાવા માટે તૈયાર સંતરા અને પાકી કેરીને સંગ્રહ કરવાનો ઉતમ રસ્તો છે કે તેને પ્લાસ્ટિકની થેલીમાં ભરીને ફ્રિજમાં રાખવું. તેને વધુ સમય માટે રાખવા માટે ઠંડા વાતાવરણની જરૂર હોય છે.
( 3. ) બગડી ન જાય તેવા ખાદ્યપદાર્થ ઃ-
સામાન્ય રીતે અનાજ, દાળો, કઠોળ, ખાંડ, મીઠું, આમલી તથા અમુક મસાલા વગેરે જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. ગામડામાં રહેતા લોકો લગભગ એક વર્ષ સુધી તેને સંગ્રહીત કરે છે. લગભગ એક ફસલ થી બીજી ફસલ કાપે ત્યાં સુધી તેઓ આ ખાદ્યપદાર્થનો સંગ્રહ કરે છે. શહેરોમાં જ્યાં ઉપયોગ કરનાર લોકો પોતાનો સામાન બજારમાંથી ખરીદે છે ત્યાં સ્થિતિ સાવ અલગ હોય છે. ઉપલબ્ધ જગ્યા, સુવિધાઓ તથા એક સમયમાં વધુ પ્રમાણમાં ખરીદવા માટે નાણાની મર્યાદા તથા ઘણી હદ સુધી યોગ્ય અને વિશ્વસનીય ખરીદ-વેચાણની સુવિધાઓ વધારે લોકોને માત્ર માસિક ખરીદારી માટે પ્રેરિત કરે છે. છતાં પણ ખાદ્યપદાર્થોના જથ્થાને ખરાબ થતાં અટકાવવા યોગ્ય સંગ્રહની જરૂરિયાત રહે છે.
બગડી ન જાય તેવા ખાદ્યપદાર્થોની સંગ્રહ વિધિ

- આવા ખાદ્યપદાર્થોને ધ્યાનપૂર્વક સાફ કરવા જોઇએ જેથી તેમાંથી માટી, કાંકરા, ઘાસ, તણખલા જેવા બીજા બાહ્ય તત્વોને નિકાળી શકાય. સારી રીતે તડકામાં સૂકાવી અને સાફકરીને હવાચૂસ્ત( airtight ) ઢાંકણાવાળા ડબ્બામાં ભરીને બંધ કરીને સંગ્રહ કરવો જોઇએ. આ ડબ્બા ટીનના, એલ્યુમીનિયમના, પ્લાસ્ટિકના કે કાંચના હોય શકે છે. બહુ વધુ પ્રમાણમાં સંગ્રહ કરવા માટે માટીના વાસણમાં અને કંતાનના બાચકાનો ઉપયોગ પણ કરવામાં આવે છે. તેને કાં તો કોઠાર રુમમાં( storeroom ) અથવા રસોડામાં રાખવામાં જોઇએ.
- સંગ્રહ કરવાની જગ્યા રસોડાથી દૂર હોય તે જ યોગ્ય રહે છે કારણકે રસોડાનું તાપમાન સંગ્રહ કરવા માટે અનુકૂળ તાપમાનથી વધુ હોય છે.
અત્યાર સુધી આપણે સૂક્ષ્મજીવાણુઓ અને કુદરતી ઉત્સેચકોના સંદર્ભમાં ખોરાકસંગ્રહ વિશે જાણ્યું. ખાદ્યપદાર્થોને બગાડવામાં કીડાં-મકોડાં અને ઉંદર-ખિસકોલાની પણ મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. સામાન્યરીતે માંખિયો ખાદ્યપદાર્થોમાં બીમારિઓ અને સંક્રમણ ફેલાવે છે. આ રીતે ઉંદર અને ખિસકોલાને પણ બીમારિઓ ફેલાવવા માટે ભૂલી ન શકાય.
કીડાની રોકધામ માટે ઘરેલૂ વિધિ

ઘરોને ખાસકરીને રસોડાને સાફ રાખવું એ કીડાં-મકોડાં ની રોકધામનું સૌથી પહેલું પગથિયું છે. બધાં ડબ્બા કે બરણીઓના ઢાકણાં એકદમ ટાઇટ બંધ કરીને રાખવા અને ખાદ્યપદાર્થોને આસ-પાસ કે નીચે જમીન પર ઢોળાવા ન દેવો અને જો ઢોળાઇ જાય તો નીચે પડેલો ખોરાક કોઠારરુમમાં કે રસોડામાં ઢોળાયેલો ન રહેવા દેવો એ પણ કીડાંની રોકધામ માટે જરૂરી છે. રસોડાના કચરા માટે ઢાંકણા વાળી કચરાપેટી હોવી બહુ જરૂરી છે. કચરાપેટીમાં કાગળની કે પ્લાસ્ટિકની થેલી ભરાવેલી હોવી જોઇએ જેને કચરાંની સાથે ફેંકી દેવું જોઇએ અને આ રીતે કચરાપેટી સાફ જ રાખી શકાય. કચરાપેટી શક્ય હોય તો દિવસમાં બે વખત જરૂર ખાલી કરવી જોઇએ.
- ખાદ્યપદાર્થને ખરીદતી વખતે એ નક્કી કરી લેવું જોઇએ કે તેમાં કીડાં-મકોડાં ન હોય. ઠંડા પાણીની બોટલોના ઢાકણાની તિરાડોમાં વધુ વાંદા હોય છે. દુકાનોમાંથી ખરીદેલી બોરીઓંમાં ઘણાખરાં કીડાઓ હોય છે.
- બધા અનાજ, દાળોં, કઠોળ તથા મસાલાઓને સાફ કરીને તડકામાં રાખીને ઠંડા કરીને પછી સંગ્રહ કરવા જોઇએ. ચોખાને ક્યારેય તડકે રાખવા નહી.
- સંગ્રહ કરવાના ડબ્બાને ચોક્કસ સમયે સાફ કરતા રહેવા જોઇએ. તેને તડકામાં સૂકાવી અને ખાદ્યપદાર્થને ભરતા પહેલા ઠંડા કરી લેવા. ડબ્બાના ઢાકણા ચૂસ્તરીતે બંધ થઇ શકે તેવા હોવા જોઇએ.
- ખાદ્યપદાર્થોને રાખવાની જગ્યાની દિવાલો, દરવાજાઓ અને બારીઓની બધી તિરાડો અને કાણાઓ બુરાયેલા હોવા જોઇએ. તે જીવ-જંતુઓ ને રહેવા અને તેની વૃદ્ધિ માટે અનુકૂળ સ્થાન છે.
- બધી ખાળો અને પાણીના નિકાસની જગ્યાઓ જાળી દ્વારા ઢાકેલાં હોવા જોઇએ જેથી ઉંદરો અને વાંદાઓના પ્રવેશને રોકી શકાય. જો રસોડાનો દરવાજો બાહર ઘરના આંગણામાં ખૂલતો હોય તો તે હંમેશા બંધ રાખવો જેથી ઉંદરોને અંદર આવવાથી રોકી શકાય. હવા અને રોશની માટે જાળીવાળો દરવાજો નખાવો જોઇએ.
- ઉંદર પકડવા માટે તેને પકડવાના પાંજરાનો ઉપયોગ કરવો.
- કીડાની રોકધામ માટે રાસાયણિક કીટનાશક નો રસોડામાં છંટકાવ ન કરવો જોઇએ. રાસાયણિક કીટનાશક દવાનો ઉપયોગ દવા છાટનારને જ નહી પરંતુ બીજા સભ્યો માટે પણ ખતરનાક હોય છે. છતાં પણ કીટનાશક દવાનો ઉપયોગ કરવો જ પડે તેમ હોય તો પેસ્ટ કંટ્રોલ મદદનીશની મદદથી કરવું. જો તમારે પોતે કાંઇ કરવું હોય થો ઝેરીલા રાસાયણિક મિશ્રિત ખાદ્યપદાર્થોની ગોળીઓના પ્રયોગ કરવો. આવી ગોળીઓનો ઉપયોગ કરતાં પહેલા અમુક વાતોની સાવધાની રાખવી જોઇએ.
- આ ઝેરીલી રાસાયણિક ગોળીયોને બાળકોથી દૂર રાખવી જોઇએ
- પરિવાર દ્વારા ખવાતા ખોરાકની સાથે તે કોઇ પણ હાલતમાં ભળવી ન જોઇએ.
- તેનો ઉપયોગ કરવાનો યોગ્ય સમય રસોઇનું બધું જ કામ પુરુ થઇ જાય પછી અને રસોડું 6 થી 8 કલાક માટે બંધ રાખી શકીએ ત્યારે છે. તેના ઉપયોગના 6 થી 8 કલાક પછી રસોડાને ખોલીને સારી રીતે સાફ કરી મરેલા જીવ-જંતુઓ માટે દરેક ખૂણા અને જગ્યાની તપાસ સારી રીતે કરવી. બધાં કચરાને હટાવીને રસોડાને સારી રીતે ધોઇને સાફ કરવું. પછી જ રસોડાનો ઉપયોગ કરવો.
- રાસાયણિક કીટનાશકોના વિકલ્પના રૂપમાં ઘરેલૂ ચીજવસ્તુઓનો ઉપયોગ કરી શકાય જેમકે- હળદર, લીમડાના પાન કે લીમડાના પાનનું તેલનો ઉપયોગ પણ કરી શકાય. ઘઊ અને ચોખામાં હળદર કે લીમડાના પાન નાખીને રાખવું એ સામાન્ય પ્રથા છે. જો ઘરના વડીલોને કીડાની રોકધામ માટે પૂછવામાં આવે તો એવા ઘણાં ઘરેલૂ ઉપાયો જાણવા મળશે.