zinc અને copper આપણા શરીરમાં મળી આવનાર અન્ય ઓછી માત્રામાં જરૂરીયાત વાળા ખનિજતત્વો છે. જોકે એમાં ખનિજતત્વો બહુ જ ઓછી માત્રામાં હોય છે. પરંતુ તે આપણા શરીરમાં ઘણા બધા મહત્વના કાર્ય કરે છે.
પ્રાપ્તિસ્થાન
પ્રકૃતિમાં zinc તથા copper ખૂબ પ્રમાણમાં મળી આવે છે. સામાન્યતઃ આપણા ભોજનમાં તેની કમી મળતી નથી. પ્રાણીજન્ય આહારમાં માંસ zinc માટેનો સૌથી સારો સ્ત્રોત છે. ઊપરાંત shellfish , દૂધ અને તેમાંથી બનતું ચીઝ, ઈંડા વગેરેમાંથી પણ zinc મળી રહે છે. વનસ્પતિજન્ય આહારમાં શાકભાજી અને ફળોમાં zinc નું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. ઘઉં, ચોખા, ઓટ્સ( oats ), કીનોઆ( quinoa ) જેવા આખા અનાજ, તેમજ સૂકો મેવો, કઠોળ અને દાળોમાંથી zinc મેળવી શકાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ડાર્ક-ચોકલેટ ઝીંક નુ સારૂ સ્ત્રોત છે. કોપર માટે જોઈએ તો, પ્રાણીજન્ય આહારમાં યકૃત કોપરનો સૌથી સારો સ્ત્રોત છે. ઊપરાંત સમુદ્રીખોરાક જેવાકે છીપલાં, કરચલાં વગેરેમાંથી પણ કોપર મળી આવે છે. વનસ્પતિજન્ય આહારમાં લીલાપાંદળાવાળા શાકભાજી, કાજુ-બદામ જેવા નટ્સ તેમજ તેલ જેવા તેલિબિયાં માંથી કોપર મળી આવે છે. ઊપરાંત મશરૂમ( mushroom ), સ્પીરૂલીના( spirulina ) અને ડાર્ક-ચોકલેટ કોપરના સારા સ્ત્રોત છે.
કાર્ય
ઝીંક વૃદ્ધિ માટે મહત્વનું ખનિજતત્વ છે અને લોહતત્વની જેમ તેના સુરક્ષાત્મક કાર્ય પણ છે. ઝીંકનો ઊપયોગ શરીર દ્વારા નવા કોષોના ઊત્પાદન માટે તેમજ રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે થાય છે. ઝીંક વૃદ્ધિ , જાતીયવિકાસ અને પ્રજનનનો આવશ્યક ભાગ છે. કોપર હિમોગ્લોબિનના નિર્માણમાં સહાયતા કરે છે તથા તે અમુક ઊત્સેચકો નો મહત્વપૂર્ણ અવયવ પણ છે. કોપર તંદુરસ્ત હાડકાં, રક્તવાહિનીઓ( blood vessels ), ચેતા તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારવાના કાર્યમાં મદદ કરે છે.
શોષણ
ઝીંક અને કોપરનુ શોષણ નાના આંતરડામાં થઈ ત્યાંથી પછી વિવિધ કાર્યો કરવા માટે શરીરના વિવિધ અંગોમાં જાય છે.
શરીર પર અસર
શરીરમાં ઝીંકની ઊણપને લીધે શરીર નવા કોષો ઊત્પન્ન કરી શકતું નથી અને શરીરની તંદુરસ્તી પર ખરાબ અસર થાય છે. આવી સ્થિતિમાં શરીરનું વજન ન સમજાય તે રીતે ઘટવુ, ભૂખ મરી જવી, ઝાડા થવા, ગંધ અને સ્વાદ પરખવાની શક્તિમાં ઘટાડો થવો, ચેતવણીનો( alertness ) અભાવ, ત્વચા પર ખૂલ્લા ઘા થવા તેમજ ઘાવ ન મટવા જેવા લક્ષણો જોવા મળે છે. કોપરની ઊણપનું નિદાન કરવુ થોડું મૂશ્કેલ હોય છે કારણકે કોપરની ઊણપથી જોવા મળતા લક્ષણો અન્ય ઘણા પોષકતત્વોની ઊણપથી થતા લક્ષણો જેવા હોય છે. જેમકે વિટામિન B-12 ની ઊણપના લક્ષણો કોપરની ઊણપથી થતા લક્ષણો જેવા જ હોય છે. શરીરમાં કોપરનું ઓછું લેવલ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ અને એનર્જીના સ્તરને અસર કરી શકે છે. જેમકે હંમેશા ઠંડીનો અનુભવ કરવો, થાકલાગવો, સરળતાથી વારંવાર બિમાર પડવું, ત્વચામાં ચાંદા પડવા, ત્વચા નિસ્તેજ થવી તેમજ ત્વચાનો વિકાસ નબળો થવો, માંસપેશીઓમાં દુખાવો થવો, શરીર પર ઊઝરડા થવા, સરળ રીતે હાડકા તૂટવા વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. એ યાદ રાખવુ જરૂરી છે કે શરીરમાં
વધુ પડતુ ઝીંકનું પ્રમાણ કોપરની ઊણપનું સામાન્ય કારણ બની શકે છે.
કારણકે ઝીંક અને કોપર પેટમાં શોષણ માટે સ્પર્ધા કરે છે. જેમાં ઝીંક સામાન્ય વિજેતા બને છે એટલે કે ઝીંકનુ શોષણ સરળતાથી થઈ જાય છે જ્યારે કોપરનું શોષણ થતું નથી.