પોટેશિયમ(POTESSIUM )

પોટેશિયમ શરીરમાં સોડિયમની તુલનામાં બમણી માત્રામાં હોય છે. આ પ્રમાણ લગભગ ૨૫૦ ગ્રામ હોય છે. તેનો વધુ પડતો ભાગ કોષોની અંદરના પ્રવાહીમાં( intracellular fluid ) રહેલો હોય છે. સોડિયમ તથા પોટેશિયમના કાર્યો એક-બીજાથી ગાઢ રૂપે સંકળાયેલા હોય છે.

પ્રાપ્તિસ્થાન

લગભગ બધા જ પદાર્થોમાં અમુક પ્રમાણમાં પોટેશિયમ હોય છે. પ્રાણીજન્ય પદાર્થોમાં માંસ, મુર્ગી તથા માછલી પોટેશિયમના સારા સ્ત્રોત છે. વનસ્પતિજન્ય પદાર્થોમાં ફળ તથા શાકભાજી ખાસ કરીને લીલા પાંદળાવાળા શાકભાજી પોટેશિયમના સારા સ્ત્રોત છે. લીલા નારિયેલનું પાણી પોટેશિયમનો સારામાં સારો સ્ત્રોત છે.તાજા ફળ અને શાકભાજીમાં કેળાં, ટમેટાં, લીંબુ, ગાજર, બટેટા વગેરેમાં પોટેશિયમ વધુ પ્રમાણમાં મળી આવે છે. આખા અનાજમાં પણ પોટેશિયમ ઘણા પ્રમાણમાં મળી આવે છે.

કાર્ય

1. કોષોની બહાર તથા અંદરના પ્રવાહીના સંતુલનનુ નિયંત્રણ

પોટેશિયમ, સોડિયમની સાથે મળીને કોષોની બહારનું પ્રવાહી તથા કોષોની અંદરના પ્રવાહીમાં સંતુલન બનાવી રાખવામાં મદદ કરે છે. જેવી રીતે સોડિયમ કોષોની બહારના પ્રવાહીમાં મળી આવતુ મુખ્ય ખનિજક્ષાર છે તેવીરીતે પોટેશિયમ કોષોની અંદરના પ્રવાહીમાં મળી આવતુ મુખ્ય ખનીજક્ષાર છે. આ બંન્ને ખનિજક્ષારો મળીને કોષોની બહાર અને અંદરના પ્રવાહી ના સંતુલનને બનાવી રાખવામાં મદદ કરે છે.

2. શરીરના પ્રવાહીમાં ક્ષારતા( alkalinity ) તથા અમ્લપિત( acidity ) નુ નિયંત્રણ

સોડિયમની જેમ પોટેશિયમ પણ ક્ષારીય હોય છે. કોષના પ્રવાહીમાં તે ક્લોરાઈડ( કે જે પહેલાથી જ ઍસિડિક હોય છે. ) ની સાથે મળીને શરીરના પ્રવાહીમાં ક્ષાર તથા અમ્લપિતના સંતુલન ને બનાવી રાખવામાં મદદ કરે છે.

3. સ્નાયુઓની કાર્યક્ષમતામાં યોગદાન

હાડપિંજર તથા હ્રદયના સ્નાયુઓનું સહેલાઈથી કાર્ય કરવામાં પોટેશિયમની કામગીરી મહત્વપૂર્ણ છે. તે સ્નાયુ દ્વારા સંદેશો મોકલવામાં મદદ કરે છે, જેને લીધે સ્નાયુઓનુ સંકોચન થાય છે.

શોષણ તથા નિકાસ

પોટેશિયમ આંતરડાના ઊપરના ભાગમાં શોષિત થાય છે. શોષાયેલુ પોટેશિયમ શરીરમા જુદા-જુદા કાર્યો માટે ઊપયોગમાં લેવાય છે. જરૂરથી વધુ પોટેશિયમ મળ-મૂત્ર દ્વારા બહાર નિકળી જાય છે.

શરીર પર અસર

શરીરમાં પોટેશિયમનુ ઓછું લેવલ હાયપોકેલેમિઆ( hypokalemia ) થવાનું કારણ બની શકે છે. વ્યક્તિને ખોરાકમાંથી પૂરતા પ્રમાણમાં પોટેશિયમ ન મળે અથવા લાંબા સમયથી ઝાડા( diarrhea/loose motion ) કે ઊલટી( vomiting ) હોય તો શરીરમાંથી પોટેશિયમ ઓછું થઈ જાય છે. વ્યક્તિના શરીરમાં પોટેશિયમનું પ્રમાણ કેટલુ ઓછું થયુ છે તેના પર વ્યક્તિ ને દેખાતા લક્ષણો આધારીત હોય છે. પોટેશિયમની ખામીને લીધે દેખાતા સામાન્ય લક્ષણો આ પ્રમાણે છે.

હાઈ બ્લડપ્રેશર, કબજીયાત( constipation ), કીડની પ્રોબલેમ, સ્નાયુઓની નબળાઈ( muscle weakness ), થાક લાગવો અને હ્રદયના ધબકારા અસામાન્ય થવા( arrhythmia ) વગેરે….

Share This

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

guGujarati
Scroll to Top