પ્રાપ્તિસ્થાન

VIT-B1 અથવા થાયમિન પશુજન્ય તેમજ વનસ્પતિજન્ય બંન્ને આહારમાંથી મેળવી શકાય છે. ચરબી, તેલ તથા ખાંડ સિવાયના દરેક આહારમાં આ વિટામિનની વધતી-ઓછી માત્રા તો હોય જ છે. વનસ્પતિજન્ય ખાદ્યપધાર્થ જેવાકે આખાઅનાજ, કઠોળ અને સૂકોમેવો થાયમિનના સારા પ્રાપ્તિસ્થાનો છે. આથો આવેલા ખાદ્યપધાર્થો જેમકે ઢોસા, ઈડલી, ઢોકળા વગેરેમાં પણ VIT-B1 મેળી આવે છે. ફણગાવેલા કઠોળમાં પણ આ વિટામિન ભરપૂર મળી આવે છે. પ્રાણીજન્ય આહારમાં ચરબીરહિત માંસ( lean meat), પોલટ્રી( poultry ), ઈંડાની જરદી વગેરે થાયમિનના સારા સ્ત્રોત છે. અનાજ પર પ્રક્રિયા કરીને ફેરફાર કરીને ખાવાથી થાયમિનની માત્રામાં પરિવર્તન આવે છે. એટલેકે આખા અનાજમાંથી VIT-B1 જેટલા પ્રમાણમાં મળે છે તેના કરતા અનાજ પર પ્રક્રિયા કરીને બનેલા લોટ, મેંદા કે સૂજીમાંથી મળતું VIT-B1 નું પ્રમાણ ઓછું હોય છે. તે જ રીતે અનાજ, કઠોળ કે દાળોને ફણગાવવાથી કે તેના પર આથાની પ્રક્રિયા કરીને ખાવાથી VIT-B1 નું પ્રમાણ વધી જાય છે.
શોષણ અને કાર્ય
શરીરમાં થાયમિન ગ્રહણ થયા પછી તેનું શોષણ થાય છે તથા તે લોહીમાં પ્રવેશ કરે છે. શરીરમાં તેનો ઊપયોગ ઘણી બધી મહત્વપૂર્ણ ક્રિયાઓ માટે થાય છે. જરૂરતથી વધારાનું થાયમિન મૂત્ર દ્વારા બહાર નીકળી જાય છે. કાર્બોદિત પદાર્થના ચયાપચયમાં થાયમિનની કામગિરી અગત્યની છે. થાયમિન, કાર્બોદિત પદાર્થના ચયાપચયમાં ઊપયોગમાં લેવાતુ એક સહઊત્સેચક છે. આ સહઊત્સેચક શક્તિ મેળવવા માટે ગ્લુકોઝના જ્વલન( burning ) અથવા ઓક્સીકરણ( oxidation ) માં મદદ કરે છે. ઊપરાંત શરીરના વૃદ્ધિ-વિકાસ માટે પણ તે આવશ્યક છે. હ્રદય, ચેતાઓ, મગજ જેવા મહત્વના અવયવોની તંદુરસ્ત કાર્યશક્તિ માટે પણ થાયમિન ખૂબ અગત્યનુ છે.
શરીર પર અસર
VIT-B1 એટલે કે થાયમિનની ઊણપને કારણે બેરી-બેરી જેવો રોગ થાય છે. અશક્તિ લાગે છે, અરુચિ થાય છે અને સ્નાયુઓનુ હલનચલન મંદ પડે છે. પગ ભારે અને અશક્ત લાગે છે. શરીરમાં બળતરા થતી હોય તેવું અનુભવાય છે. જો રોગની સારવાર કરવામાં ન આવે તો હ્રદય પર અસર થાય છે ને છેવટે મૃત્યુ થાય છે.
0 thoughts on “વિટામિન-બી૧(VITAMIN-B1 OR THIAMINE)”
Pingback: વિટામિન-બી૧(VITAMIN-B1 OR THIAMINE) – આપણે અને આપણો આહાર