પ્રાપ્તિસ્થાન

VIT-B12( COBALAMIN ) માત્ર પશુજન્ય ખોરાક માંથી જ મેળવી શકાય છે. લિવર, કિડની, ઈંડા, સમુદ્રીફૂડ( seafoods like crabs, lobsters, shrimps etc..), દૂધ જેવા પ્રાણીજન્ય આહાર VIT-B12 ના સારા સ્ત્રોત છે. વનસ્પતિજન્ય ખોરાકમાં VIT-B12 હોતુ નથી. પરંતુ આંતરડામાં રહેલા અમુક ચોક્કસ સહાયક બેક્ટેરિયા દ્વારા VIT-B12 સંશ્લેષિત( synthesised ) કરી શકાય છે. આપણા શરીરમાં VIT-B12 ની જરૂરિયાત બહુ જ ઓછી હોય છે. પશુજન્ય ખોરાક જેમકે દૂધની થોડીક માત્રાના સેવનથી આપણી VIT-B12 ની જરૂરિયાત ની પૂર્તિ થઈ જાય છે
શોષણ અને કાર્ય
VIT-B12( COBALAMIN ) નુ શોષણ એક વિશેષ રાસાયણિક પદાર્થની હાજરીમાં થઈ શકે છે જેને આંતરિક પરિબળ( intrinsic factor ) કહે છે. આ રાસાયણિક પદાર્થ પેટના કોષો દ્વારા સ્ત્રાવિત થાય છે. શરીરમા ગ્રહણ કરેલું VIT-B12 આ આંતરિક પરિબળ સાથે મળ્યા પછી નાના આંતરડા દ્વારા શોષિત કરી લેવાય છે. નાના આંતરડામાં ઊપસ્થિત ચોક્કસ સહાયક બેક્ટેરિયા પણ VIT-B12 બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. આમ, VIT_B12 આંતરિક પરિબળો વિના શોષિત થઈ શકતુ નથી. VIT-B12 ના શોષણ માટે આંતરિક પરિબળો જરૂરી છે. આ આંતરિક પરિબળ પેટમાંથી મળી આવે છે. જ્યારે બેક્ટેરિયા દ્વારા ઊત્પન્ન થયેલુ VIT-B12 જે શરીરમાં વધારાનુ હોય તે મળ દ્વારા શરીરની બહાર નિકાલ કરી દેવાય છે. VIT-B12 પ્રાણીદ્રાવ્ય( water saluble ) વિટામિન હોય શરીરમાંનુ વધારાનુ વિટામિન મળ દ્વારા બહાર નીકળી જાય છે.
શરીરમાં પાચનતંત્ર, જ્ઞાનતંત્ર, અસ્થિમજ્જાના સરળતાથી કામ થઈ શકે તે માટે VIT-B12 જરૂરી છે. ફોલિકઍસિડની જેમ VIT-B12 પણ લાલ રક્તકણો( red blood cells ) ના નિર્માણ માટે ઊપયોગમાં લેવાય છે.
શરીર પર અસર

VIT-B12 ની ઊણપને લીધે રક્તકણો યોગ્યરીતે બનતા નથી અને તેથી પાંડુરોગ થાય છે. મનુષ્ય ફિક્કો પડી જાય છે અને જલદીથી થાકી જાય છે. થોડુક અંતર ચાલવાથી પણહાંફી જાય છે.