આપણા દેશની શાકભાજી મારકેટો અનાયાસે જ આપણું ધ્યાન તેમની તરફ આકર્ષિત કરે છે. તેમ છતાં આપણે તે વધુ સાફસફાઈ વાળી મારકેટ હોય તેવું ઈચ્છતા હોઈએ છીએ, કારણકે આપણા દેશની શાકમારકેટોમાં સાફસફાઈનો અભાવ જોવા મળતો હોય છે. છતાં પણ તે ઘણી આકર્ષિત કરે તેવી હોય છે. કોઈ પણ જગ્યાની શાકમારકેટમાં જો આપણે જાઈએ તો આપણે તે જગ્યામાં રહેવા વાળા લોકોની ખાદ્ય સંબંધિત આદતો વિશે ઘણી હદ સુધી જાણકારી મળી રહેશે. આપણા દેશમાં આપણે કોઈ ને કોઈ એવા ખાદ્યપદાર્થ મળી રહેશે કે જેનાથી આપણે પહેલા પરિચિત ન હોય. આપણે ત્યાં શાકભાજીમાં ઘણીબધી વિવિધતા જોવા મળે છે. નાના પ્રકારની સિંગો, લીલા પાંદળાવાળા શાકભાજી, દરેક સાઈઝના ટમેટા, નાના લીલા રંગથી સફેદ લાંબા તથા જાંબલી રંગના ગોળ રીંગણા, અલગ-અલગ વજન વાળી વેલાના વર્ગની દૂધી તથા બીજા શાકભાજી જેમકે ભીંડા, કારેલા, ફૂલકોબી, વટાણા, પત્તાકોબી, ગાજર, શલગમ તથા મૂળા મળે છે.
શાકભાજી તરીકે આપણે પાલક, મેથી જેવી ભાજીઓ ઃ ગાજર, બટાકા જેવાં કંદમૂળો ઃ અને પાપડી, વટાણા, ભીંડા જેવાં શાકનો આપણા દૈનિક આહારમાં ઉપયોગ કરીએ છીએ. આ શાકભાજીમાંથી આપણને ઓછા ખર્ચે ઘણાં પોષક તત્વો મળી રહે છે. તેમાંથી મળતાં પોષક તત્વો આપણને ચેપ અને રોગો સામે રક્ષણ આપે છે અને શરીરની વૃદ્ધિ તથા નિભાવ માટે અનિવાર્ય છે. શાકભાજીથી વાનગીઓને જુદા જુદા રંગ મળી રહે છે. શાકભાજી આપણી આંખોનું તેજ વધારે છે, આપણી ચામડીને મુલાયમ બનાવે છે અને આપણને ઘણા રોગો સામે રક્ષણ આપવાનું કામ કરે છે અને આ રીતે તે આપણા આહારમાં ખૂબ મહત્વના છે.શરીરનું સંરક્ષણ કરનાર આહારમાં શાકભાજી સૌથી સોંઘો આહાર છે. શાકભાજી આપણા ભોજનમાં વિવિધતા લાવે છે તેમજ ખોરાકને રંગીન, સ્વાદિષ્ટ અને પાચક બનાવે છે. શાકભાજીમાં આ બધા ગુણો હોવા છતાં આપણે તે ઓછા પ્રમાણમાં ખાઈએ છીએ.

EAT PLENTY OF VEGETABLES, THEY PROTECT US FROM MANY DISEASES
શાકભાજીના વર્ગમાં એવા ખાદ્યપદાર્થોનો સમાવેશ કરવામાં આવ્યો છે જે કાં તો છોડ છે અથવા મનુષ્યના ભોજનમાં વાપરી શકાય તેવા છોડોનો અમુક ભાગ છે. આ વર્ગીકરણમાં એક અપવાદ છે કે ફળ તથા બીજ કે જે અનાજના રૂપમાં મળે છે તે પણ છોડોનો ભાગ છે તેમ છતાં તેમાંથી મહત્તમને ફળો, શાકભાજી, અનાજ અને સૂકામેવામાં વર્ગીકરણ નથી કરાયું. એનું કારણ એ છે કે તે બધા છોડોનો જ ભાગ હોય છે, પરંતુ આપણા આહારમાં તેની ભૂમિકા અલગ હોય છે. શાકભાજી કાં તો છોડ અથવા છોડનો ભાગ હોય છે, પરંતુ આખો છોડ ખવાય તે બહુ ઓછું જોવા મળે છે. ઘણુખરુ કોઈ પણ છોડનો એક ભાગ જ ખાવા લાયક હોય છે જેમકે પાલકના પાંદડા, કાકડીની ડન્ડી, કોબીનું ફૂલ, રીંગણાનું ફળ, વટાણાના બીજ, ડૂંગળીનું કંદ તથા ગાજરના મૂળ.
આપણી તંદુરસ્તી માટે શાકભાજી વિશેની જાણકારી હોવી ખૂબ મહત્વની બાબત છે. ક્યા શાકભાજી આપણને સૌથી વધુ અનુકૂળ છે તે આપણે જાણવું જોઈએ. વળી તેને ખરીદવાની, સંઘરવાની અને રાંધવાની ઉત્તમ રીત પણ આપણે જાણવી જોઈએ.
ભારતમાં શાકભાજી મોંઘા મળે છે. કારણકે તેને ઉગાડવા માટે ઘણી મહેનત, સતત દેખભાળ તથા વારંવાર પાણી દેવાની જરૂરિયાત હોય છે. ખેતરમાંથી શહેરોના બજારોમાં લાવતા-લાવતા પણ તે બહુ જલ્દી ખરાબ થઈ જાય છે. શાકભાજીમાં બીટા-કેરોટીન તથા વિટામિન-સી ખૂબ પ્રમાણમાં મળી આવે છે. તે આપણા આહારમાં વધુ પ્રમાણમાં રેશાઓ પ્રદાન કરી કબજીયાતની ફરિયાદને પણ ઓછું કરે છે.
આહારમાં પૌષ્ટિકતાની દ્રષ્ટિથી શાકભાજીને બે વિભાગમાં વિભાજીત કરવામાં આવે છે. ( A ) પાંદળાવાળા શાકભાજી તથા ( B ) બીજા શાકભાજી કે જે ન તો પાંદળા વાળા છે અને ના તો મૂળ કે કંદમૂળ. આના વિશે વિગતવાર આપણે હવે પછીના બ્લોગમાં જાણશું.