ચરબી( FAT)

CONTINUED…..

ચરબી આપણા આહારમાંનુ સંકેન્દ્રિત(concentrated) શક્તિ-સ્ત્રોત છે. જે આપણા રોજના આહારનો અગત્યનો ભાગ છે. માખણ, ઘી, તેલ વગેરે સ્વરૂપે આપણે ચરબી ખાઈએ છીએ. દૂધ, સૂકોમેવો, માંસમા પણ થોડા પ્રમાણમાં ચરબી હોય છે.

કાર્ય

  1. ચરબીમાંથી સૌથી વધુ પ્રમાણમાં શક્તિ મળે છે. ૧ ગ્રામ ચરબી ૯ કિલો-કૅલરી શક્તિ આપે છે, જે તેટલા જ વજનના કાર્બોદિત પદાર્થ કે પ્રોટીનમાંથી મળતી શક્તિ કરતાં આશરે સવા બે ગણી હોય છે.
  2. ચરબીમાં દ્રાવ્ય વિટામિન( Vit A, D, E,and K) ના યોગ્ય શોષણ અને શરીરમાં તેના યોગ્ય ઊપયોગ માટે ચરબી જરૂરી છે. જો આહારમાં યોગ્ય પ્રમાણમાં ચરબી ન હોય તો શરીરમાં આ વિટામિનની ઊણપ વર્તાય છે.
  3. ત્વચા નીચેનું ચરબીનું પડ શરીરનું તાપમાન જાળવી રાખવામાં મદદ કરે છે.
  4. ચરબી શરીરના અગત્યના અવયવોની આજુબાજુ ગાદી જેવું આવરણ બનાવી તેમનું રક્ષણ કરે છે તેમજ બાહ્ય આંચકા અને ઈજાઓથી તેમને બચાવે છે.
  5. રાંધવામાં અને તળવામાં ચરબીનો ઉપયોગ થાય છે. તેનાથી આહાર સ્વાદિષ્ટ અને મનપસંદ બને છે.
  6. ચરબીના પાચનમાં વધુ સમય લાગે છે. આપણને પેટ ભરેલું હોય તેવી લાગણી થાય છે અને આપણે સંતોષ અનુભવીએ છીએ.

ચરબી શક્તિ આપે છે અને આહારને સ્વાદિષ્ટ બનાવે છે.

પ્રાપ્તિસ્થાન

  • ચરબી વનસ્પતિજ અને પ્રાણીજ બન્ને પ્રાપ્તસ્થાનોમાંથી મળે છે.
  • મગફળી, સરસવ, તલ, સોયાબીન, કપાસિયા જેવા તેલીબિયા અને કોપરા જેવા મેવા વગેરેમાંથી વનસ્પતિજન્ય તેલ મળે છે.
  • દૂધ, ઈંડાનીજરદી, ઘી, માખણ, મલાઈ, માછલીનુંતેલ વગેરે પ્રાણીજ ચરબીના પ્રાપ્તિસ્થાન છે

શરીર પર અસરો

  • આહારમાં ચરબી વધુ હોય કે ચરબી ની ઊણપ( કમી ) હોય બંન્નેની અસર શરીર પર પડે છે.
  • ચરબીના અભાવથી શક્તિનો અભાવ રહે છે, પરિણામે વજન ઘટે છે, થાક લાગે છે અને કાર્યક્ષમતા ઘટે છે. આહારમાં ચરબી ઓછી હોય તો વિટામિન એ, ડી, ઈ ને કે ની ઊણપ વર્તાય છે.
  • આહારમાં ચરબીયુક્ત પદાર્થો વધુ પ્રમાણમાં લેવાથી વજન વધે છે પરિણામે મધુપ્રમેહ, હ્રદયરોગ, રુધિરનું ઊંચુદબાણ જેવા રોગો થઈ શકે છે.

આહારમાં ચરબીની અધિકતા સ્થૂળતા લાવે છે.

TO BE CONTINUED ON PROTEIN

Share This

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

guGujarati
ટોચ પર સ્ક્રોલ કરો