સૂકામેવાનું પોષણમૂલ્ય અને ઉપયોગ( NUTRITIVE VALUE AND USES OF DRYFRUITS )

DryfruitProtein Carbohydrates Fat
Coconut 71540
Almond 262249
Cashew 213064
Pistachio 151465
Walnut 192845
Peanut 261640

સૂકામેવા પ્રોટીનના સારા પ્રાપ્તિસ્થાન છે. મગફળી જેવાં તેલિબીયાંની સાથે વેસણ, તલ અથવા દૂધનો પાઉડર જેવા પદાર્થોનું મિશ્રણ કરીને પ્રોટીનની ગુણવત્તામાં વધારો કરી શકાય છે. આ પદાર્થો ચરબીનાં સારા પ્રાપ્તિસ્થાનો છે. તે કેરોટીન – વિટામિન એ ના પૂર્વગામી પદાર્થના પણ સારાં પ્રાપ્તિસ્થાન છે. સૂકામેવામાં નાયસિન પણ હોય છે. સૂકામેવા આયર્ન અને કેલ્શિયમ જેવા ખનિજક્ષારના પણ સારાં પ્રાપ્તિસ્થાન છે. સૂકામેવામાં પૌષ્ટિકમૂલ્ય , સૂકા કઠોળ તથા વટાણા જેટલું જ હોય છે. આ એવા વનસ્પતિજન્ય પદાર્થોમાંથી એક છે જેમાં ઉચ્ચ શ્રેણીનું પ્રોટીન મળી આવે છે. જુદાં-જુદાં સૂકામેવામાં પ્રોટીનનું પ્રમાણ જુદું-જુદું હોય છે. જેમકે, સૂકા નારીયલમાં 7%, અખરોટમાં 15%, પિસ્તામાં 19%, કાજૂમાં 21%, તથા મગફળીમાં 26% પ્રોટીન મળી આવે છે. વધુ પડતા સૂકામેવામાં કાર્બોદિતપદાર્થોનું પ્રમાણ વધુ હોય છે. તેથી તેમાંથી આપણને ઘણા પ્રમાણમાં શક્તિ મળે છે. આપણે ઉપયોગમા લઈએ છીએ તેવા વધારે પડતા સૂકામેવામાં 50% ચરબી મળી આવે છે. કાચા નારીયલ તથા મગફળીમાં 40% , સૂકા નારીયલમાં 62%, અખરોટમાં 65%, કાજૂમાં 64%, ચરબી હોય છે. વધુ ચરબી અને તેથી વધુ શક્તિ સાથે વધુ પ્રોટીનનું વધારે પ્રમાણ હોવાને લીધે સૂકામેવા પૂરતી પૌષ્ટિક્તા પૂરી પાડવાના હેતુથી આપણા દેશમાં મહત્વપૂર્ણ છે. અલ્પપોષિત વ્યક્તિઓ માટે શક્તિ મળવવાનો સંકેન્દ્રિત સ્ત્રોત છે તથા તે ઉચ્ચ શ્રેણીનું પ્રોટીન પ્રદાન કરે છે. જોકે વધુ પડતી શક્તિ હોવાને લીધે વધુ પડતું વજન ધરાવતી વ્યક્તિઓ માટે તે લગભગ સીમિત ખાદ્યપદાર્થ છે.

સૂકામેવાનો અને તેલીબિયાંનો ઉપયોગ

મગફળી, તલ, કોપરા જેવા તેલીબિયામાંથી સામાન્યરીતે રાંધવા માટેનું તેલ કાઢવામાં આવે છે. ઘી ની સરખામણીમાં તેલનો ઉપયોગ હ્રદયરોગના જોખમને ઘટાડતા હોવાથી તેલના ઉપયોગને ઉતેજન આપવામાં આવે છે. સૂકામેવા અને તેલીબિયાંના બીજા ઉપયોગ નીચે પ્રમાણે છે.

  • સૂકામેવાને શેકીને અથવા તળીને તેમ જ સીધા જ ખાઈ શકાય છે. આનો નાસ્તો ખૂબ સ્વાદિષ્ટ બને છે. સૂકામેવા પર વેસણ કે ગોળનું પાતળું પડ કરવાથી તેની સુગંધ વધુ સારી આવે છે.
  • વિવિધ નાસ્તામાં મગફળી જેવા સૂકામેવા ઉમેરવાથી તેમનું પોષણમૂલ્ય પણ વધે છે અને સાથે સાથે ખાદ્યપદાર્થને સરસ સુગંધ પણ મળે છે. આવો શેકેલો સૂકોમેવો ઉમેરવાથી કટલેસ, લાટવા, બરફી ભજિયા વગેરે વાનગીઓ વધુ સ્વાદિષ્ટ બને છે.
  • મગફળી શેકી અને દળીને તેની પેસ્ટ બનાવી શકાય. આ પેસ્ટ સેન્ડવીચ, ચટણી વગેરે બનાવવામાં વપરાય છે.
  • નમકીન, રોટલી, બિસ્કિટ વગેરે બનાવવામાં મગફળીનો લોટ, ઘઉંના લોટમાં ઉમેરી શકાય છે.
  • સોયાબીનની જેમ મગફળી અને કોપરાનું ધૂધ પણ બનાવી શકાય છે. આવું દૂધ જે બાળકોને ગાય કે ભેંસના દૂધની એલર્જી હોય તેમના માટે સારું હોય છે. નારિયેલનું દૂધ નાના બાળકો અને નવજાત શિશુઓ માટે ખૂબ યોગ્ય હોય છે.
  • તલ જેવા તેલીબિયાં શેકીને નાસ્તા, બિસ્કિટ, કેક વગેરેમાં ઉમેરી તેની સુગંધ વધારી શકાય છે. તલ અને મગફળીને શેકી ગોળની ચાસણીમાં ભેળવી લાડુ કે ચીકી બનાવાય છે. શિયાળામાં આને એક પૌષ્ટિક આહાર તરીકે લેવાય છે.
  • આપણા ભોજનમાં ખસખસ પણ વિવિધ રીતે વપરાય છે. શરબત ઉપરાંત વિવિધ ભારતીય મીઠાઈઓ બનાવવામાં ખસખસ વપરાય છે. તે જ રીતે આપણા રોજિંદા આહારમાં બીજા સૂકામેવા અને તેલીબિયાં ઉમેરવાથી સારું પોષણ મળે છે એટલું જ નહી તેનાથી આપણા આહારમાં વિવિધતા અને સ્વાદ પણ મળે છે.

Share This

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

guGujarati
Scroll to Top